Author: Garvi Gujarat

સલમાનની ફિલ્મનું શૂટ ડિસેમ્બરમાં પૂરું થવાનો અંદાજ.સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મ જૂન ૨૦૨૬માં રિલીઝ થશઆ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંઘ લીડ રોલમાં છે, સલમાન તેમાં કર્નલ બિક્કુમ્મલા સંતોષ બાબુનો રોલ કરી રહ્યો છેસલમાન ખાન પોતાના સોશિયલ પર ‘બેટલ ઓફ ગલવાન’ની તૈયારીની તસવીરો પોસ્ટ કરતો રહે છે. આ ફિલ્મ વિશે ચર્ચા ખતી રહી છે. ત્યારે હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થવામાં છે. સલમાન આ ફિલ્મમાં ક્યારેય જાેવા ન મળ્યો હોય એવા અવતારમાં જાેવા મળશે. તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક થોડાં વખત પહેલાં લોંચ કર્યાે હતો. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે ચર્ચાઓ અને ધારણાઓ શરૂ થઈ ગઈ હતી. સુત્રો દ્વારા મળતી…

Read More

હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારહવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશેનવા પ્રસ્તાવમાં મુસાફરોને બુકિંગ બાદ ૪૮ કલાકનો લુક-ઇન સમયગાળો મળશે, જે દરમિયાન તેઓ કોઈપણ નોંધપાત્ર ફી લીધા વિના તેમની ટિકિટ કેન્સલ કરી શકે છે.જાે તમે હવાઈ મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) હવાઈ મુસાફરીમાં કેટલાક નિયમોમાં સુધારો કરવાની તૈયારી કરતાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ મહત્વપૂર્ણ ફેરફારો હેઠળ, હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના ૪૮ કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા ફેરફાર કરી શકશે, અને તે પણ કોઈપણ વધારાના શુલ્ક વિના. આ પ્રસ્તાવમાં રિફંડ સંબંધિત…

Read More

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યોઓક્ટોબર ૨૦૨૫માં ઝાડા-ઉલટી, કમળો અને ટાઇફોઇડના કુલ ૬૬૭ કેસ નોંધાયાઅમદાવાદ શહેરમાં ઓક્ટોબર મહિનામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, માત્ર એક જ મહિનામાં ઝાડા-ઉલટીના ૨૪૧ કેસ, કમળા ના ૧૯૯ કેસ અને ટાઇફોઇડના ૨૨૭ કેસ નોંધાયા છે. આ ત્રણેય પાણીજન્ય રોગોના કુલ કેસનો આંકડો ૬૬૭ પર પહોંચ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરમાં પાણીના શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે. રોગચાળો વકરવાનું મુખ્ય કારણ બેવડી ઋતુ (દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક) ને પણ ગણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય…

Read More

અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબતઅમદાવાદના અટલ બ્રિજની ૩ વર્ષમાં ૭૮ લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાતઅટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છેભારતના પહેલા હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઈકોનિક અટલબ્રિજ અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમીટેડ (જીઇહ્લડ્ઢઝ્રન્) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૨ થી ઓક્ટોબર ૨૦૨૫ સુધીના સમયમાં કુલ ૭૭,૭૧,૨૬૯ લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૭.૭૦ કરોડ…

Read More

અમદાવાદમાં મણિનગરમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ થયારાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ઓશનિક સ્પા‘માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છઅમદાવાદના મણિનગર વિસ્તારમાં બોડી મસાજ પાર્લરની આડમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. સોમવારે સાંજે ‘ઓશનિક સ્પા‘ પર પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સ્પાના મેનેજરની ધરપકડ કરી હતી અને અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવેલી પાંચ મહિલાઓને બચાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છૐ્ેંને બાતમી મળી હતી કે મણિનગરના કાંકરિયા તળાવ પાસે આવેલા રાજદીપ ડ્રીમ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ઓશનિક સ્પા‘માં પૈસાના બદલામાં ગ્રાહકોને જાતીય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ બાતમીના…

Read More

સોનાના વાયદામાં રૂ.449 અને ચાંદીના વાયદામાં રૂ.1635નો ઘટાડોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.99 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.26661.36 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.83808.28 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.21246.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 28404 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.110471.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26661.36 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.83808.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.1.02 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.70 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 28404 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More

દયા ડોંગરના કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી. ખ્યાતનામ મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું અવસાન.માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાંફિલ્મ અને ટીવીજગતના જાણીતા અભિનેતા સતીશ શાહના નિધન બાદ ફિલ્મજગત માટે ફરી દુ:ખદ સમાચાર આવ્યા છે. જાણીતી મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું ૮૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વૃદ્ધાવસ્થાને કારણે તેઓ નાદુરસ્ત રહેતા હતા, આજે તેમણે આખરી શ્વાસ લીધા છે. તેઓ માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાં.તેમની કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી. આકાશવાણીમાં તેઓ ગાઈ ચૂક્યાં હતા, ત્યારબાદ અભિનય તરફ વળ્યાં…

Read More

બૅન્કૉકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવ્યા હતા.અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફર પાસેથી ૬ કરોડનું મારિજુઆના જપ્ત.બંને કેસમાં હાઇબ્રીડ ગાંજાે જપ્ત કરી મુસાફરોને પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી.અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોમવારે નશીલા પદાર્થાેની હેરફેર રોકવા માટે બે કેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે કરવામાં આવેલ આ ઓપરેશનમાં બૅન્કૉકથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવેલા બે ભારતીય મુસાફરો પાસેથી કુલ ૬ કિલો ૨૦૦ ગ્રામ મારિજુઆના (હાઇબ્રીડ ગાંજાે) જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત છ કરોડ રૂપિયાથી વધારે થાય છે.છૈંેંના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા કેસમાં એક ભારતીય મુસાફર પાસેથી કુલ ૪.૧૮૦ કિલો ગ્રામ વજનના ચાર…

Read More

કિમ જાેંગ ઉને આપી શ્રદ્ધાંજલિ.ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું ૯૭ વર્ષની વયે નિધન.કિમ યોંગ નામ શાસક પરિવાર પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને સરકારી કાર્યક્રમોમાં તેમના બુલંદ અવાજમાં ભાષણો માટે જાણીતા હતા.ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું ૯૭ વર્ષની વયે નિધન થયું છે. સરકારી મીડિયા અનુસાર, તેમનું મૃત્યુ સોમવારે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું.તેમણે ૧૯૯૮ થી એપ્રિલ ૨૦૧૯ સુધી લગભગ બે દાયકા સુધી દેશના ઔપચારિક પ્રમુખ તરીકે સેવા આપી હતી. જાેકે, વાસ્તવિક સત્તા હંમેશા શાસક કિમ પરિવાર પાસે જ રહી છે. તેઓ શાસક કિમ રાજવંશના સંબંધી ન હતા.કિમ યોંગ નામ શાસક પરિવાર પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા અને…

Read More

બાહુબલી ધ એપિક’રી રીલીઝે ‘ટાઈટેનિક’ને પાછળ છોડી દીધી‘ટાઇટેનિક’ને પાછળ છોડી દીધા પછી, આ ફિલ્મ હવે ‘યે જવાની હૈ દીવાની’ અને ‘ગિલ્લી’ને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે.પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી ધ એપિક’એ રીતસર તહેલકો મચાવી દીધો છે અને અત્યારે તો ‘ટાઈટેનિક’ને પાછળ છોડી દીધી છે;હવે ફિલ્મનું આગામી લક્ષ્ય યે જવાની હૈ દીવાની છે.‘બાહુબલી ધ એપિક’ એ બોક્સ ઓફિસ પર ભારે ધમાલ મચાવી દીધી છે. શરૂઆતના દિવસે મજબૂત કલેક્શન સાથે, ફિલ્મ પહેલાથી જ સૌથી વધુ કમાણી કરનારી રી-રિલીઝ ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે. હવે, તેનું આગામી લક્ષ્ય સૌથી વધુ કમાણી કરનારી રી-રિલીઝ ફિલ્મ બનવાનું લાગે છે.આજની કમાણીને ધ્યાનમાં લેતા, આ લક્ષ્ય…

Read More