- IndiGo ફ્લાઇટમાં પાવર બેન્ક બ્લાસ્ટ: ધુમાડો-આગ ફેલાતાં 5 મુસાફરો ઘાયલ, લેન્ડિંગ સમયે અફરાતફરી
- હોર્મુઝ સ્ટ્રેટ બંધથી LPG સંકટ: અમેરિકા ઈરાન-ચીન પર દબાણ વધારી ભારતને ગેસ રાહત માટે રસ્તો ખુલ્લો કરવા અપીલ કરે છે
- Belo Horizonteમાં ભયાનક વિમાન દુર્ઘટના: રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતાં 3ના મોત, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- Mamata Banerjeeનો આરોપ: West Bengal ચૂંટણીમાં હાર નહીં, મત ‘લૂંટાયા’, રાજીનામું નહીં આપે
- Ashok Dindaનો Moyna બેઠક પર ફરી વિજય, West Bengal ચૂંટણીમાં જીત
- Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleumને ઊંચા ભાવે તેલ ખરીદીથી નુકસાન, કેન્દ્ર સહાય નહીં
- Katy Perry અને Justin Trudeauના રિલેશનશીપની પુષ્ટિ, સાથેની તસવીરો વાયરલ
- Varanasi શૂટિંગ અટક્યું: 150 પાણીના ટેન્કરોને ના મળતાં S. S. Rajamouliની ફિલ્મ મુશ્કેલીમાં
Author: Garvi Gujarat
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનોએક જ ઓર્બિટમાં બન્ને દેશોના સ્પેસ સ્ટેશનો ભ્રમણ કરશે તો સાથે મળી સંશોધન કરી મદદરૂપ થઇ શકશે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફર વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ખતમ થવા જઇ રહી છે. જે બાદ રશિયા અને ભારત ભવિષ્યના પોતાના અંતરિક્ષ સ્ટેશનોંને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરશે. એટલે કે જળ, જમીન, આકાશ અને હવે અંતરિક્ષમાં પણ ભારત અને રશિયાની મિત્રતા જાેવા મળશે. એક જ ઓર્બિટ ક્ષેત્રમાં ભારત અને રશિયા બન્નેના અંતરિક્ષ સ્ટેશનો સંચાલિત કરવાની જાહેરાત રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીની મુલાકાત દરમિયાન કરી હતી. તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે ભારતની મુલાકાતે આવ્યા…
અદિતિ રાવ હૈદરી, સારા અર્જૂન અને શ્રિયા સરને ફેક અકાઉન્ટની ફરિયાદ કરી.સારા અર્જૂનના પિતા રાજ અર્જૂને પણ આ અઠવાડિયે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને પોસ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિ અજાણ્યો નંબર સારા અર્જૂનનો હોવાનો દાવો કરે છે.છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ તેમના નકલી અકાઉન્ટ બન્યા હોવાના અને તેમના નામ, તેમની તસવીરો અને તેમના નામે નકલી નંબર શરૂ કરાયા હોવાની પણ ફરિયોદો ઉઠી છે. ઘણા કલાકારોએ આ અંગે જાગૃતિ લાવવાની અને આ અનુભવને દુ:ખી કરનારો ગણાવ્યો છે. ગયા અઠવાડિયે રકુલપ્રીતસિએ એક પોસ્ટ કરી હતી જેમાં તેના નામ અને તસવીર સાથે અજાણ્યા નંબર પરથી મેસેજ આવવાની વાત કરી હતી.…
‘તેઓ ફોન કરીને ક્યારેય તમારા વખાણ નહીં કરે’‘ધ ફેમિલી મેન ૩’ પહેલા મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતે ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘ચટગાંવ’માં સાથે કામ કર્યું હતું.એક્ટર મનોજ બાજપેયી હાલમાં ‘ધ ફેમિલી મેન’ સિઝન ૩માં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી રહ્યા છે. કલાકારોએ તાજેતરમાં કુશા કપિલા અને કોમેડિયન રવિ ગુપ્તા સાથે શૉ વિશે વાત કરી હતી. જેમાં મનોજ બાજપેયીએ બોલિવૂડના કલાકારોમાં રહેલી ઈન્સિક્યોર વિશે ખુલીને વાત કરી હતી. જયદીપ અહલાવતે ખુલાસો કર્યાે કે, જ્યારે મનોજ બાજપેયી ‘પાતાલ લોક’ સિઝન ૧માં તેમના કામની પ્રશંસા કરી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે પાતાલ લોક સિઝન ૧ રિલીઝ થઈ, ત્યારે…
બીજા કમિન્ટમેન્ટસ સાથે તારીખોનો મેળ ખાતો ન હોવાનું કારણ.રાશા થડાનીના હાથમાંથી દિગ્દર્શક લિજાે જાેસ પેલિસરીની ફિલ્મ છુટી ગઇ.મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો.રવિના ટંડનની પુત્રી રાશા થડાનીના હાથમાંથી એક ફિલ્મ છુટી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો. જેમાં રાશા થડાની મુખ્ય રોલમાં કામ કરવાની હતી. પરંતુ હંસલ મહેતા નિર્મિત ફિલ્મનો હવે રાશા થડાની હિસ્સો નહીં હોય. આ ફિલ્મની ઘોષણા ઓકટોબર મહિનામાં જ કરવામાં આવી હતી. સૂત્રે જણાવ્યું હતું કે, રાશા થડાની પોતાની આગામી ફિલ્મ લાઇકી લાઇકાના શૂટિંગમાં વ્યસ્ત છે.…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની વધુ એક એકટ્રેસે શૉ છોડ્યો.અગાઉ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ વર્ષ ૨૦૨૨માં શૉ છોડ્યો. તેણે મેકર્સ પર તેમના બાકી મહેનતાણા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.ટેલિવિઝનનો લોકપ્રિય શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જાેકે, આ લોકપ્રિયતાની સાથે શૉ અને મેકર્સ અનેક વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે અને અવારનવાર કોઈને કોઈ કલાકાર શૉ છોડી દે છે. હવે સીરિયલમાં મહિલા મંડળની ટીમમાં ‘સુનીતા’નું પાત્ર ભજવનારી અભિનેત્રી પ્રજાક્તા શિસોદેએ શૉ છોડી દીધો છે.શૉ છોડ્યા બાદ પ્રજાક્તાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. પોતાના પાત્રની તસવીર શેર કરતાં…
નિયમની અવગણના બદલ કાર્યવાહી.અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત ૮ મિલકતો સીલ.આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી.AMC દ્વારા અમદાવાદની વધુ ૮ મિલકતોને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી છે, ખાસ કરીને જ્યાં લોકોની મોટી અવરજવર હોય છે. મહત્ત્વનું છે કે, AMC દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોનમાં કુલ ૮ મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં નિકોલ અને હાથીજણ વિસ્તારના ૩ મલ્ટિપ્લેક્સ જેમ કે સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સનો સમાવેશ થાય છે. વસ્ત્રાલ અને ઓઢવમાં આવેલી ૫ હોસ્પિટલોને…
યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ.પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવી શકે છે ભારત.આ મુલાકાતને રશિયા-યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે.રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી પણ જાન્યુઆરી-૨૦૨૬માં ભારતની મુલાકાતે આવી શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ, ભારત અને યુક્રેનના અધિકારીઓ આ પ્રવાસ અંગે સપ્તાહોથી વાતચીત કરી રહ્યા છે. આ મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે. જાે ઝેલેન્સ્કીનો પ્રવાસ નિર્ધારીત થશે તો છેલ્લા ૧૩ વર્ષમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. અહેવાલમાં જણાવાયું છે કે, ઝેલેન્સ્કીનો પ્રસ્તાવિત ભારત…
ફેસબુક પર પોસ્ટ કરીને કરી જાહેરાત.ગુજરાતી સિંગર કિંજલ દવેએ કરી લીધી સગાઈ.એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલે કરી સગાઈ : યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા હાજરજાણીતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે. કિંજલ દવેએ જાણીતા બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ત્યારે કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જાેવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે. લાંબા સમયના ડેટિંગ બાદ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ૫ ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને ૬ ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જેમાં…
ભારતનો સમાજ સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી.આપણા દરેક સમુદાયની આ જ સમસ્યા છે કે આપણે નથી સમજતા કે અહીં ફક્ત એક જ પ્રજાતિ છે, જેને હોમો સેપિયન્સ કહે છે.કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં એક સુનાવણી દરમિયાન ભારતીય સમાજ અંગે ખૂબ જ આકરી અને મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ભારતીય સમાજ દુનિયાના સૌથી વધુ જાતિવાદી(ટ્ઠિષ્ઠૈજં) અને રંગભેદ કરનારા સમાજાેમાંથી એક છે. હાઈકોર્ટના જસ્ટિસ અરુણે શુક્રવારે એન્કર સુધીર ચૌધરી વિરુદ્ધ કર્ણાટક રાજ્ય કેસની સુનાવણી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જસ્ટિસ અરુણે કહ્યું કે, આપણે ભારતીયો ભલે ઘણીવાર અન્ય દેશો પર જાતિવાદ અને રંગભેદનો આરોપ લગાવીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે પોતે જ સૌથી…
આજે કમાઈ રહ્યા છે લાખો.પરંપરાગત ખેતી છોડીને ખેડૂત શાકભાજીના પાક તરફ વળ્યા.બારાબંકીમાં શિમલા મરચાની ખેતી ખેડૂતો માટે ઓછા રોકાણમાં વધુ કમાણીની સુવર્ણ તક બની ગઈ છે.આપણા દેશમાં કેટલીક એવી શાકભાજી છે, જેની માંગ આખું વર્ષ રહે છે અને તેથી ખેડૂતોને સારો નફો મળે છે. શિમલા મરચું એવી જ એક શાકભાજી છે, જેની બજારમાં હંમેશા સારી માંગ રહે છે. શિમલા મરચું માત્ર શાકભાજી તરીકે જ નહીં, પણ અનેક પ્રકારના વાનગીઓમાં પણ વપરાય છે. તેના સ્વાદ અને પોષક તત્વોને કારણે આ શાકભાજી ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. શિમલા મરચામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



