- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
- પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલનની તૈયારીમાં
- યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો 4 મેચનો બેન! રહાણેએ ખોલ્યું 2022નું મોટું રહસ્ય
- મમતા બેનર્જીના કાફલા પર હુમલો, ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંકાયા
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની 5 શરતો, અમેરિકાથી યુદ્ધનું વળતર માંગ્યું
- વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટર મુદ્દે AAPનો ભાજપ પર ગંભીર આરોપ
- મહારાષ્ટ્રમાં મોંઘવારીનો માર: 11 ઓગસ્ટથી દૂધના ભાવમાં ₹2નો વધારો
- PM મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ ઘેર-ઘેર તિરંગો લહેરાવો
Author: garvigujrat
‘ઇક્કિસ’ને મળેલા પ્રતિસાદથી ખૂબ હિમ્મત વધી – સીમર ભાટીયા બીજા કોઈ પ્રોજેક્ટ માટે ઓડિશન આપ્યું અને ઇક્કિસ મળી ગઈ : સીમર ઇક્કિસ ફિલ્મથી અક્ષય કુમારની ભત્રીજી સીમર ભાટીયાએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું અને સારો અભિનય કર્યો હતો તાજેતરમાં ઇક્કિસ ફિલ્મથી અક્ષય કુમારની ભત્રીજી સીમર ભાટીયાએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું છે કે તેની પહેલી ફિલ્મને મળેલા પ્રતિસાદથી હવે તેની હિંમત વધી છે. સિમર હવે પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે આશાવાદી દેખાઈ રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન સિમરે પોતાના અનુભવો વિશે વાત કરી હતી.શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરેલી આ વોર ડ્રામા પછી જીવનમાં આવેલાં પરિવર્તન વિશે સિમર કહ્યું,“ખુબ સારો…
રાજકુમાર રાવે ખુલાસો કર્યાે કે, આ નવી ફિલ્મનો લૂક છે રાજકુમાર રાવે પોતાના ખરતા વાળ અંગે ફૅન્સની ચિંતા દૂર કરી રાજકુમાર હવે વધારેલું બધું જ વજન ઘટાડવાની ઘટાડશે અને ગાંગુલીની બાયોપિક માટે તૈયારી શરૂ કરશે રાજકુમાર રાવના તાજેતરના દેખાવને લઈને ચાહકોમાં ચિંતા જાેવા મળી હતી. તેનું વજન વધેલું અને બદલાયેલી હેરલાઇન સાથે તેની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અટકળો શરૂ થઈ હતી. કેટલાંક ફૅન્સે તેના ખરતા વાળ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.રવિવારે એક કાર્યક્રમમાં હાજર રહેલો રાજકુમાર રાવ થોડો જાડો દેખાતો હતો અને તેની હેરલાઇનમાં પણ ફેરફાર જણાયો હતો. જાેકે, આ ચર્ચાઓ વચ્ચે તપાસ કરતાં જાણવા મળ્યું…
હું મારા મેલ કો-સ્ટાર્સ સાથે વધારે સારો સંબંધ ધરાવું છું અક્ષય-શાહરુખ સાથે કોઈ સ્પર્ધા નથી, અમે પૂરક છીએ : જાેન અબ્રાહમ ૨૦૦૩માં ‘જિસ્મ’થી ડેબ્યુ કરીને તાજેતરની ફિલ્મ ‘તેહરાન’ સુધી, જાેન અબ્રાહમે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે જાેન અબ્રાહમે કહ્યું છે કે ૨૦૦૩માં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તેને ભારે ટીકા સહન કરવી પડી હતી. તેમ છતાં, આ વર્ષાે દરમિયાન તેણે પોતાની પ્રતિભાથી પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તે મોટા સ્ટાર્સ સાથે મજબૂત મિત્રતા ધરાવે છે. ૨૦૦૩માં ‘જિસ્મ’થી ડેબ્યુ કરીને તાજેતરની ફિલ્મ ‘તેહરાન’ સુધી, જાેન અબ્રાહમે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તેની તેના કો-એક્ટર્સ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સચિન, સુડા, કનકપુર,કંસાડ, પાલીગામ, તલંગપોર, પલસાણા, કડોદરા,જોળવા,તાતીથૈયા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સહિત હજીરા,કીમ,પીપોદરા જેવી અલગ-અલગ જગ્યાઓ ઉપર મજૂર વર્ગો માટે બિલ્ડીંગોમાં ૮x૮ કે ૧૦x૧૦ ની ઊભી કરાતી રૂમો જેમાં હવા ઉજાસ તો દૂરની વાત છે. પરંતુ શ્વાસ લેવો પણ ભારે પડે એવી એક એક રૂમોમાં ૫ થી ૭ વ્યક્તિઓ ભાડે રહેતી હોય છે. આ બિલ્ડીંગો ઊભી કરનારાઓની ઉપર ઉપરોક્ત વિસ્તારોના પદાધિકારીઓ અને અધિકારીઓની મીઠી નજર હોવાથી આડેધડ બિલ્ડીંગો ઊભી થઈ રહી છે અને મજૂર વર્ગનું આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. સદર બિલ્ડીંગો ઊભી કરનારા નાનો મોટો ધંધો કરીને પૈસા કમાઈને બાંધકામ…
સોનાનો વાયદો ઘટીને રૂ.1.51 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.29 લાખના સ્તર સુધી ગબડ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37388 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.256200.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.228553.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37388 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2688.37 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20618.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…
ગાંધીનગરમાં વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ તથા ખેતીની જમીન સુધારા સંબંધિત વિધેયક-3 લાવવામાં આવ્યું. આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલી કલેક્ટરની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે નવા સુધારામાં કલેક્ટરની સત્તા પર નિયંત્રણ મૂકવામાં આવવું જોઈએ. જોકે, સત્તાપક્ષના સભ્યો દ્વારા આ મુદ્દે ચર્ચા કરવાની તક આપવામાં આવી નહોતી. ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે સરકાર કલમ 75 હેઠળ સુધારો લાવી રહી છે, ત્યારે કલમ 54 અંગે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે.…
વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સત્રના બીજા દિવસે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત અધિનિયમમાં સુધારો કરતું બિલ લાવવામાં આવ્યું. આ બિલ ગૃહમાં પસાર થયું અને આ બિલ ખૂબ જ મહત્વનું હતું. મારા વિસાવદર વિસ્તારમાં 90% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ખેતી કરતા લોકો સાથે અન્યાય ન થાય એ માટે આ બિલમાં મેં એક સુધારો સૂચવ્યો હતો. પહેલા કાયદા વિશે કહું તો આ કાયદો કહે છે કે 1948થી નક્કી થયું છે કે બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી. પણ ગુજરાતમાં કેટલાક લોકોએ પોતાની બે…
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ધ્રાફડ નદી પર સરસઈ ગામે બની રહેલા મેજર બ્રિજ મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિધાનસભામાં પૂછાયેલા તેમના સવાલના જવાબમાં સરકારે ડિઝાઇન રિવાઇઝ થવાને કારણે કોઈ નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો હતો. પરંતુ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અનુસાર આ જવાબ તથ્યવિહિન અને ભ્રામક છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જૂનાગઢના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર બ્રિજ માટે અગાઉ રૂ. 5.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સુધારેલા અંદાજ મુજબ રૂ. 7.23 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે કુલ ખર્ચમાં રૂ. 1.73 કરોડનો વધારો…
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં તેમના તારાંકિત પ્રશ્ન નંબર 23ના જવાબમાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવી કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે એક તરફ “ગુજરાત મોડલ” અને વિકાસની વાતો થાય છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં હજારો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા…
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી હતી. મિડિયા સમક્ષ વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દેશની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે. દેશની સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ યુટ્યુબ પર લાઇવ ઉપલબ્ધ છે. અનેક રાજ્યોની વિધાનસભાઓની કામગીરી પણ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લાઇવ પ્રસારિત થાય છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓની કાર્યવાહી પારદર્શક રીતે જનતા સમક્ષ…




