- સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી પ્રકૃતિ-સંસ્કૃતિનો સંગમ જામશે
- પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કોંગ્રેસ દેશવ્યાપી આંદોલનની તૈયારીમાં
- યશસ્વી જયસ્વાલ પર લાગવાનો હતો 4 મેચનો બેન! રહાણેએ ખોલ્યું 2022નું મોટું રહસ્ય
- મમતા બેનર્જીના કાફલા પર હુમલો, ગાડી પર કાદવ-બોટલો અને ચપ્પલ ફેંકાયા
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાનની 5 શરતો, અમેરિકાથી યુદ્ધનું વળતર માંગ્યું
- વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટર મુદ્દે AAPનો ભાજપ પર ગંભીર આરોપ
- મહારાષ્ટ્રમાં મોંઘવારીનો માર: 11 ઓગસ્ટથી દૂધના ભાવમાં ₹2નો વધારો
- PM મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈ ઘેર-ઘેર તિરંગો લહેરાવો
Author: garvigujrat
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી “વિધાનસભા લાઇવ કરો” લખેલા પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે “લોકશાહીની હત્યા બંધ કરો, વિધાનસભા લાઇવ કરો” જેવા સુત્રોચ્ચાર સાથે વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રિમ કોર્ટની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે, જેમાં ન્યાયાધીશો અને વકીલો શું દલીલો કરે છે તે સામાન્ય નાગરિક…
ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત અંબાજી મંદિરે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન-આરતીના સમયમાં ફેરફાર આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણી પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર કરાયો છે. આગામી તા. ૨ માર્ચ ૨૦૨૬ સોમવાર (ફાગણ સુદ ૧૪)ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે. આ દિવસે સવારે ૭:૩૦થી ૮:૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. જ્યારે સાંજે ૧૮:૩૦…
સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક વધારો નોંધાયો સરકાર લોકોને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરે, પીડિતોને વળતર આપે: સુપ્રીમ લોકોમાં જાગૃતિ લાવવા ટીવી અને રેડિયો પર આ ગુનેગારોની કાર્યપદ્ધતિના રેકોર્ડિંગ્સ પ્રસારિત કરો દેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલના વધતાં વ્યાપની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં સતત ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. આ બાબતની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સરકારને નીત-નવી પદ્ધતિથી લોકોને સકંજામાં લેતાં સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવા તથા તેનો ભોગ બની પોતાની પરસેવાની કમાણી ગુમાવી ચૂકેલાં લોકોને વળતર આપવા તથા તેમનું રક્ષણ કરવાના ઉપાયો હાથ ધરવા જણાવ્યું હતું. મ્યૂલ બેન્ક એકાઉન્ટ્સ ખોલી તેને સાયબર અપરાધીઓને વેચી દેતાં પરમજીત ખર્બ નામના એક…
માસ્ટર માઈન્ડ હજુ ફરારરોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરાઈ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જૂહુ સ્થિત ઘર પર ફાયરિંગ કરનારા શૂટરની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં મુંબઈ પોલીસે હરિયાણા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શૂટર સહિત ૬ સાથીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે શૂટર સહિત ૬ આરોપીની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં ૧૧ લોકોની ધરપકડ…
‘હીર રાંઝા’માં આજના સમયને અનુરૂપ લવસ્ટોરી રજૂ કરવામાં આવશે ‘લૈલા મજનૂ’નાં મેકર્સ ફરી સાથે આવ્યાં ‘હીર રાંઝા’ નામની સિક્વલની જાહેરાત પરંપરાગત પ્રેમકથાના મૂળમાં રહેલી હોવા છતાં, ‘હીર રાંઝા’ને આજના સમયને અનુરૂપ રજૂ કરવામાં આવશે ‘લૈલા મજનૂ’ની કલ્ટ સફળતા બાદ ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે. બંને પ્રભાવશાળી સર્જનાત્મક શક્તિ ધરાવતી આ જાેડી ફરી સાથે મળીને ‘હીર રાંઝા’ નામે ફ્રેન્ચાઇઝીના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ‘લૈલા મજનૂ’ની પ્રેમકથાને આગળ વધારશે અને દર્શકો સાથેનો તેનો ઊંડો ભાવનાત્મક સંબંધ પણ આગળ વધારશે. પરંપરાગત પ્રેમકથાના મૂળમાં રહેલી હોવા છતાં, ‘હીર રાંઝા’ને આજના સમયને અનુરૂપ રજૂ કરવામાં આવશે.…
ચોથી સીઝનનું શૂટ ફ્રાન્સમાં શેટો દી લા મેસાર્દિયર, સેંટ ટ્રોપેઝમાં થશે દીપિકા પાદુકોણ ‘ધ વ્હાઇટ લોટસ’ની સીઝન-૪માં જાેડાઈ હોવાના અહેવાલ સ્ટુડિયો અથવા નિર્માતાઓ તરફથી કે પછી દીપિકા તરફથી તેમાં દીપિકાના જાેડાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દીપિકા પાદુકોણનાં નામની ‘ધ વ્હાઇટ લોટસ’ સાથે જાેડાવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, તે આ લોકપ્રિય સિરીઝની આવનારી ચોથી સીઝનમાં જાેડાઈ શકે છે.ડેકન ક્રોનિકલના અહેવાલ મુજબ, દીપિકા એમી એવોર્ડ વિજેતા ડાર્ક કોમેડી એન્થોલોજીની સીઝન ૪માં જાેવા મળી શકે છે. રિપોર્ટ મુજબ તે હેલેના બોનહામ કાર્ટર અને ક્રિસ મેસીના સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશે. આ…
આમ આદમી પાર્ટી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યુ છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકીયા, દિલીપ ભૂવા સહિતના AAP આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતુ. આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો હોવાની શંકા છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ બે જેટલા દૂધના ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી તેમને મળી હતી. દૂધ સાચું છે કે નકલી તે જાણી લેવા માટે…
સોનાનો વાયદો ઘટીને રૂ.1.54 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.35 લાખને સ્પર્શ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38010 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.177866.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 38010 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2304.55 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13912.42 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.154999ના…
ભારતના ખોટા નકશા સાથેના પ્રિયંકા ચોપરાના ઇન્ટરવ્યુની લોકો દ્વારા ભારે ટીકા પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ માટે યુઝર્સ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં , તેણે એક પ્રકાશનને ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો. તેણે તેને અવગણતાં યુઝર્સ ગુસ્સે થયા પ્રિયંકા ચોપરા તાજેતરના એક ઇન્ટરવ્યુ માટે ટીકાનો ભોગ બની છે જેમાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો , પરંતુ અભિનેત્રીએ વાંધો ઉઠાવ્યો ન હતો. આ જોઈને, વપરાશકર્તાઓએ પ્રિયંકાની ટીકા કરી છે અને નકશો દૂર કરવાની માગ કરી છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે ભારતીય અને વિદેશી ખાદ્ય પદાર્થો વચ્ચે તફાવત…
RTI એક્ટિવિસ્ટનો ખુલાસો.શ્વાનોના રસીકરણ-ખસીકરણમાં પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ.પાલિકા દ્વારા ૩૦,૩૦૦ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરાયું હોવાનો દાવો.સુરત શહેરમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરીને લઈ ભારે ચર્ચા ઉભી થઈ છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવોએ પાલિકા સામે ગંભીર આરોપ લગાવ્યો છે અને આરટીઆઇમાં સામે આવેલા આંકડાઓએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.માહિતી મુજબ, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન સુરત શહેરમાં ૩૩,૭૬૧ શ્વાનો પકડવામાં આવ્યા, અને પાલિકા દ્વારા ૩૦,૩૦૦ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં લગભગ ૩.૩૦ કરોડ ખર્ચ થયો હોવાનું જણાવાયું છે. જાે વાર્ષિક સરેરાશ ગણીએ તો અંદાજે ૮,૦૦૦–૮,૫૦૦ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સરકારી સેન્સસ મુજબ,…




