Author: Garvi Gujarat

વિજયને અકસ્માત નડ્યો હોવાથી ફેન્સ ચિંતિત હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર અભિનેતા વિજય દેવરકોંડાને નડ્યો અકસ્માત અભિનેતા વિજય દેવરકોંડા સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી. હૈદરાબાદ: સાઉથની લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડાને અકસ્માત નડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જાેગુલાંબા ગડવાલ જિલ્લામાં વિજય દેવરકોંડાનો કાર અકસ્માત થયો છે. મળતી વિગતો પ્રમાણે હૈદરાબાદ-બેંગલુરૂ હાઈવે પર તેની ગાડીને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી હતી. જાે કે, જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળ્યાં નથી. માત્ર વિજય દેવરકોંડાની કારને સામાન્ય નુકસાન થયું છે.મળતી વિગતો પ્રમાણે વિજય દેવરકોંડા પુટ્ટપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યો હતો. રવિવારે જાેગુલંબા ગડવાલ જિલ્લાના ઉંડાવલ્લી મંડલમાં વારસિદ્ધિ વિનાયક લીફ મિલ…

Read More

ભત્રીજાએ બતાવ્યો અરીસો મીકા સિંહને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું સિંગર મીકા સિંહે સુલતાન ફિલ્મનું “૪૪૦ વોલ્ટ” અને “જુમ્મે કી રાત” જેવા બ્લોકબસ્ટર ગીતો ગાયા છે મીકા સિંહે બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે સલમાન ખાન માટે પણ અનેક ગીતો માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું હતું. જાેકે, ભાઈજાન માટે મીકાનો અવાજ પસંદ કરવો એ સરળ કાર્ય નહોતું. મીકા સિંહે પોતે એક વાર ખુલાસો કર્યાે હતો કે મારી કારકિર્દીની શરૂઆતમાં સલમાનને મળવું મારા માટે ખૂબ જ અપ્રિય અનુભવ હતો. હકીકતમાં, જ્યારે સલમાને મારો અવાજ સાંભળ્યો, ત્યારે તેમણે પહેલી વાર મને ના પાડી દેતા રિજેક્ટ કરી…

Read More

કોમેડિયને આપી જબરદસ્ત પ્રતિક્રિયા તન્મય ભટ્ટની ૬૬૫ કરોડની નેટવર્થના દાવા પર ધમાલ તન્મય ભટનું નામ સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક તરીકે જાણીતું છે, લોકોને તેમના વીડિયો પણ ખૂબ ગમે છે. જાણીતા હાસ્ય કલાકાર તન્મય ભટ્ટને લઈને ઘણી ચર્ચા થઈ છે. એક રિપોર્ટમાં તન્મય ભટ્ટની નેટવર્થ જાહેર કરવામાં આવી છે. એટલું જ નહીં, તે સૌથી મોંઘા યુટ્યુબર્સની યાદીમાં ટોચ પર છે. આ રિપોર્ટ આવ્યા પછી તન્મય ભટનું નામ ચર્ચામાં છે, પરંતુ હવે તન્મયની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેને લોકો ખૂબ જ માણી રહ્યા છે.તન્મય ભટનું નામ સૌથી લોકપ્રિય યુટ્યુબર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સમાંના એક તરીકે જાણીતું છે, લોકોને તેમના…

Read More

હર્ષ લિંબાચિયા સાથે શેર કર્યા ખુશખબર કોમેડિયન ભારતી સિંહ ફરીવાર માતા બનશે ભારતી સિંહ હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં છે, જ્યાંથી તેણે આ ખુશખબર તેના ચાહકો સાથે શેર કર્યા છે. કોમેડિયન અને ટીવી હોસ્ટ ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે વારંવાર પોતાના વિશે અપડેટ્સ ઓનલાઈન શેર કરે છે. આ દરમિયાન ભારતી સિંહે તેના ચાહકો સાથે કેટલીક સારી ખબરો શેર કરી છે. ભારતી સિંહ ફરીથી બાળકની અપેક્ષા રાખી રહી છે, એક પોસ્ટ તેણે શેર કરી છે. આ સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ ખુશ થયા છે.ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ…

Read More

‘એનિમલ’માં રણબીરના પરિવર્તને ચાહકોને સ્તબ્ધ કરી દીધા હતા.‘એનિમલ’ માટે રણબીરે કોઈ શોર્ટ કટ ન અપનાવ્યો.તાજેતરમાં, રણબીર કપૂરના ટ્રેનર, શિવોહમ ભટ્ટ સાથેનો એક ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો.‘એનિમલ’માં રણબીર કપૂરે પોતાના અભિનય અને પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેના ટ્રેનરે તેની વજન વધારવાની યાત્રાની સંપૂર્ણ વાર્તા જાહેર કરી છે. રણબીર કપૂરે હંમેશા પોતાના શક્તિશાળી અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ‘એનિમલ’માં તેના નોંધપાત્ર પરિવર્તને ચાહકો સહિત દરેકને સ્તબ્ધ કરી દીધા. હવે, અભિનેતાના ટ્રેનર, શિવોહમ ભટ્ટે આ રહસ્ય ખોલ્યું છે.રણબીર કપૂરની દરેક ફિલ્મ અને દરેક પાત્ર હંમેશા રસપ્રદ રહ્યું છે. તેણે હંમેશા પોતાના બધા પાત્રોથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. પરંતુ ‘એનિમલ’માં તેનો અભિનય સંપૂર્ણપણે…

Read More

ફરહાન સાથે ૧૨ લાખ રૂપિયાની ઠગાઈ થઈ.અભિનેતા ફરહાન અખ્તર સાથે ડ્રાઈવરે કરી છેતરપિંડી.મુંબઈ પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.બોલિવૂડના અભિનેતા ફરહાન અખ્તર સાથે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રિપોર્ટ મુજબ, ફરહાન સાથે ૧૨ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે અને આ ઠગાઇ પણ તેના ખાસ ડ્રાઇવરે કરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પોલીસે આ મામલે આરોપી ડ્રાઈવર અને પેટ્રોલ પંપના કર્મચારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અભિનેતા ફરહાન અખ્તરની માતા હની ઈરાનીના ડ્રાઈવર નરેશ સિંહ અને બાંદ્રા ઝીલ પાસે આવેલા એક પેટ્રોલ પંપના કર્મચારીએ ફરહાનના પેટ્રોલ…

Read More

ઘણી વખતથી ચાલી રહેલી અફવાઓ વચ્ચે.રશ્મિકા મંદાના અને અભિનેતા વિજયે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી!.થોડા દિવસો પહેલા વિજય દેવરકોંડાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની માર્શલ આર્ટ્સ અને ફિટનેસ બતાવતો જાેવા મળ્યો હતો.બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથે સગાઈ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકાએ એક ગુપ્ત સમારંભમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હતી. જાેકે, આ કપલે હજુ સુધી તેમના ફેન્સને આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના સંબંધોના સમાચારો વહેતા થઈ રહ્યા છે. રશ્મિકાએ પણ ઘણી વખત ખુલ્લેઆમ વિજય દેવરકોંડા પ્રત્યેનો…

Read More

અરબ સાગરમાં શક્તિ વાવાઝોડાની અસર.દ્વારકાના દરિયામાં ૨૫ ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ.દરિયાકાંઠા પર પ્રતિબંધ અને ત્રણ નંબરનું સિગ્નલ.અરબ સાગરમાં સર્જાયેલા સંભવિત શક્તિ વાવાઝોડાના જાેખમને ધ્યાનમાં રાખીને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આ વાવાઝોડું ૬ ઓક્ટોબરે પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે. શક્તિ વાવાઝોડું રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર પર સીધું ટકરાય તેવી આશંકા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. હાલની સ્થિતિ જાેતા શક્તિ વાવાઝોડું દ્વારકાથી પશ્ચિમ દિશામાં આશરે ૬૦૦ કિલોમીટર દૂર અરબ…

Read More

કેજરીવાલ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે.ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી.પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટો. યોજાશે : એએપીએ ઉમેદવારની જાહેરાત કરી.આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રાજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ વખતે અરવિંદ કેજરીવાલને નહીં, પરંતુ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી છે. પંજાબમાંથી એક રાજ્યસભા બેઠક માટેની પેટાચૂંટણી ૨૪ ઓક્ટોબરે યોજાશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામાંકનને મંજૂરી આપી હતી. ગુપ્તા પંજાબ આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, પરંતુ તેમણે એક દિવસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજિન્દર ગુપ્તાને ૨૦૨૨માં પંજાબ પ્લાનિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતાં.…

Read More

NCRB રિપોર્ટમાં ખુલાસો.સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ.પશ્ચિમ બંગાળમાં મહિલા કેદીની સંખ્યા પણ વધુ છ.દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (દ્ગઝ્રઇમ્) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દ્ગઝ્રઇમ્ એ ભારતીય જેલ આંકડા ૨૦૨૩નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ ૬,૯૫૬ વિદેશી કેદીઓ છે, જેમાંથી ૨,૫૦૮ વિદેશી કેદીઓ (આશરે ૩૬ ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. પશ્ચિમ બંગાળની જેલમાં ૨૫૭૭૪ કેદીઓ બંધ છે. જેમાંથી ૯ ટકા…

Read More