Author: Garvi Gujarat

૨૭ અભ્યાસલેખો, ૩૧ નવલિકાઓ, ૧૭ વિનોદિકાઓ, ૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૧ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો સાથેનો દળદાર દીપોત્સવી અંક રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ‘ગુજરાત દીપોત્સવી અંક’ના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ અને માહિતી – પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામકશ્રી કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે ગુજરાત…

Read More

સહકારી જીન રોડ પરની બે ઓફિસ સીલ કરાઈ.હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ રૂ.૩.૪૨ કરોડથી વધુની ઠગાઈની રાવ.કન્સલ્ટન્સીના ત્રણ સંચાલકો સામે ફરિયાદ નોંધાતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં એ.આર. કેપિટલના નામની બોગસ ઓફિસ ખોલીને પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવનાર વ્યકિતઓ દ્વારા રોકાણકર્તાઓ પાસેથી કરોડો રૂપિયાની ડિપોઝીટ રકમ ઉઘરાવીને છેતરપિંડી કરનાર ત્રણ જણા સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોન્ઝી સ્કીમના સંચાલકોને ઝડપી લેવા માટે જીૈં્ની રચના કરી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો મુજબ, વર્ષ ૨૦૨૨માં અજયસિંહ મકવાણાએ બી.ઝેડમાંથી નોકરી છોડી એ.આર કન્સલ્ટન્સી તથા એ.આર કેપીટલના નામે પોન્ઝી સ્કીમ…

Read More

કફ સિરપ હાનિકારક ન હતા: કેન્દ્ર સરકારનો ખુલાસો.કફ સિરપથી બે રાજ્યોમાં ૧૧ બાળકોનાં મોત બાદ તંત્ર જાગ્યું : એડવાઇઝરી જારી.આરોગ્ય મંત્રાલય દ્વારા મોતના ચોક્કસ કારણો જાણવા એનઆઈવી પૂણે ખાતે લોહીના નમૂનાની ચકાસણી કરાઈ હતી.મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનાવટી કફ સિરપના કારણે ૧૧ બાળકોના મોત થયાં હોવાના અહેવાલોએ સરકારની ચિંતા વધારી છે. આ મામલે આક્ષેપોની ચકાસણી બાદ કેન્દ્ર સરકારે કફ સિરપ બનાવટી હોવાના દાવા ફગાવી દીધા છે. આ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાળકો માટે કફ સિરપના ઉપયોગમાં સાચવેતી રાખવા સલાહ આપી છે. રાજસ્થાન સરકારે બે ડોક્ટરોને સસ્પેન્ડ કર્યાં છે.મધ્યપ્રદેશના છિંદવાડામાં ૧૧ તથા રાજસ્થાનના ભરતપુર-સિકરમાં એક-એક બાળકનાં મોત કફ સિરપ પીધા પછી…

Read More

ટ્રમ્પે હમાસને રવિવાર સુધીનો સમય આપ્યો.ટ્રમ્પનું અલ્ટિમેટમ: હમાસ સંધિ કરે અથવા બરબાદી માટે તૈયાર રહે.ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર યુદ્ધગ્રસ્ત વિસ્તાર ખાલી કરવા પેલેસ્ટાઈનવાસીઓને વિનંતી કરી હતી.ંયુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ માટે આખરી ચેતવણી જારી કરી દીધી છે. હમાસને રવિવાર સુધીનો સમય આપવાની સાથે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે, સંધિ ન સ્વીકારે તો હમાસની બરબાદી નક્કી છે. હમાસ પર નરકની બધી યાતનાઓ એક સાથે તૂટી પડશે. એક યા બીજી રીતે શાંતિ જરૂર સ્થપાશે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હમાસને અલ્ટિમેટમ આપ્યુ હતું અને ઈઝરાયેલ સાથે ગાઝા શાંતિ કરાર સ્વીકારવા (વોશિંગ્ટન સમય મુજબ) રવિવારે સાંજે ૬ સુધીનો સમય આપ્યો હતો. સાથે ટ્રમ્પે કહ્યું હતું…

Read More

૩૮૧ ડ્રોન, ૩૫ મિસાઈલ વડે પ્રચંડ હુમલો કરાયાનો યુક્રેન એરફોર્સનો દાવા.રશિયાએ યુક્રેનના ગેસ મથકોને નિશાન બનાવીને ભીષણ હુમલો કર્યો.શિયાળાની શરૂઆત પૂર્વે યુક્રેનની પાવર ગ્રીડને નષ્ટ કરવાના ઈરાદા સાથે હુમલો કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતુ.રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વિકરાળ બની રહ્યું છે. રશિયાએ ગુરુવારે રાત્રે યુક્રેનના કુદરતી ગેસ મથકોને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યાે હતો. રશિયાના હુમલામાં આઠ વર્ષના બાળક સહિત બે મહિલાઓને ઈજા થઈ હતી. યુક્રેન સરકારની માલિકીના નાફ્ટોગેઝ ગ્રુપ દ્વારા સંચાલિત ગેસ મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જામ્યું છે. શિયાળાની શરૂઆત પૂર્વે યુક્રેનની પાવર ગ્રીડને…

Read More

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર.૫ વર્ષ બાદ રિયા ચક્રવર્તીને NCB જપ્ત કરેલો પાસપોર્ટ પાછો મળ્યો.સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરતી NCB રિયાનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો.વર્ષ ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. આ આત્મહત્યાને લઈને તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી પર શંકાની સોય આવીને અટકી હતી. જેને લઈને રિયા ચક્રવર્તીને જેલમાં જવાની પણ નોબત આવી હતી. સાથોસાથ તેનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જાેકે, હવે આ કેસના પાંચ વર્ષ બાદ રિયા ચક્રવર્તી માટે સારા સમાચાર આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરતી નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો(દ્ગઝ્રમ્)એ…

Read More

રિયાલિટી શૉમાં અહાના કુમારે ખોલી પોલ.ધનશ્રી ચહલનું નામ લઈને વિક્ટિમ કાર્ડ રમે છે?.‘રાઇઝ એન્ડ ફોલ’ શો માં ધનશ્રીને હંમેશા ચહલ સાથેના સંબંધો અને છૂટાછેડાને લઈને વાતચીત કરતા જાેવા મળી.એક્ટ્રેસ આહાના કુમરા રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માંથી બહાર થઈ ગઈ છે. આ શોમાં તેની સૌથી વધુ વાતચીત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે થતી હતી. એક ઇન્ટરવ્યૂમાં આહાનાએ ધનશ્રી અને ચહલના છૂટાછેડા અંગે પ્રતિક્રિયા આપી છે. આહાનાએ કહ્યું કે શોમાં ધનશ્રી પીડિત બનવાનો નાટક કરી રહી છે. ‘રાઇઝ એન્ડ ફોલ’ શો માં ધનશ્રીને હંમેશા ચહલ સાથેના સંબંધો અને છૂટાછેડાને લઈને વાતચીત કરતા જાેવા મળી છે. હવે શોમાંથી બહાર થયા…

Read More

કંતારા ચેપ્ટર ૧ વર્લ્ડ વાઇડ ૧૦૦ કરોડે પહોંચી.કંતારાએ પહેલા દિવસે સૈયારા-બાહુબલી ફિલ્મને પછાડ્યા.રિષભ શેટ્ટી દ્વારા લખાયેલી અને ડિરેક્ટ થયેલી પહેલી કંતારાની સફળતાની કોઈએ કલ્પના કરી નહોતી.કંતારા ચેપ્ટર ૧ રિલીઝ થઈ ગઈ છે અને વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કલ્પના કરતાં પણ સારી કમાણી કરી છે. આ ૨૦૨૨માં આવેલી આ ફિલ્મની પ્રિક્વલે બહુ સારી શરૂઆત કરી છે અને વિદેશમાં પણ દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મે પહેલાં જ દિવસે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે. કંતારા ચેપ્ટર ૧ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં લગભગ ૭૨ કરોડની કમાણી કરી છે, સાઉથના થિએટરમાં આ ફિલ્મની ૭૦ ટકાથી વધુ…

Read More

આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ થશે.અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે ગૂગલ અને યુટ્યુબ વિરુદ્ધ દાવો માંડ્યા.બચ્ચન પરિવારે યુટ્યુબ પર સામગ્રીની દેખરેખ અને થર્ડ પાર્ટી ટ્રેનિંગ પોલિસી પર ચિંતા વ્યક્ત કરી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને ગૂગલ અને યુટ્યુબ સામે કાયદેસરના પગલા લેવાનું નક્કી કર્યું છે, જેમાં છૈં-જનરેટેડ ડીપફેક્સ દ્વારા તેમનાં ફોટો અને વિડિયોના કથિત દુરુપયોગ બદલ ૪ કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ઐશ્વર્યા અને અભિષેકે અગાઉ તેમનાં વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે પણ દાવો કર્યાે હતો, તેમણે વિવિધ પ્લેટફોર્મ પર અનુમતિ વિના નકારાત્મક રીતે એડીટ કરેલી સામગ્રીને અનિયંત્રિત રીતે ફેલાવવા દેવાનો આરોપ લગાવ્યો હતો.કેટલાક અહેવાલ મુજબ, બચ્ચન પરિવારે યુટ્યુબ પર સામગ્રીની…

Read More

હોમગાર્ડ્સ થયા બેરોજગાર.૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાતા ખળભળાટ મચ્યો.કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો ર્નિણય છ.રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ ર્નિણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે. માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ ર્નિણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ ૪(૧)…

Read More