- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાનો ર્નિણય.તહેવારો નિમિત્તે વટવા-રકસૌલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય.આ ટ્રેનો આણંદ, છાયાપૂરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સતના, મુજફ્ફરપુર સહિતના સ્ટેશનો ઉપર બંને દિશામાં રોકાશે.પશ્ચિમ રેલ્વે આગામી તહેવારો નિમિત્તે ઘસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા હેતુ વટવા અને રકસૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાનો ર્નિણય લીધો છે. વટવા-રકસૌલ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે વટવાથી રાત્રે ૧૧:૩૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે ૪ વાગ્યે રકસૌલ પહોંચશે. આ ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી દોડશે. તેવી જ રીતે રકસૌલ-વટવા સ્પેશિયલ ટ્રેન દર મંગળવારે રકસૌલથી સવારે ૧૧:૨૦ કલાકે…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આજે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે. બીજી તરફ આવતીકાલે સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે. અમદાવાદના તમામ ધારાસભ્યો,…
‘દુનિયાનો સૌથી ગંદો માણસ’- 60 વર્ષ સુધી નહાયો નહોતો, સ્નાન કર્યા પછી મૃત્યુ પામ્યો.ઈરાનના એક સાધુ અમુ હાજીને વિશ્વનો સૌથી ગંદો માણસ કહેવામાં આવતો હતો. તેમનું મૃત્યુ 2022માં 94 વર્ષની વયે થયું હતું. અમુ હાજી લગભગ 60 વર્ષ સુધી નહાયા નહોતા. આટલા વર્ષો પછી, ગામલોકોએ તેમને પહેલી વાર નહાવા માટે સમજાવ્યા. સંયોગથી, આના થોડા મહિના પછી તેમનું મૃત્યુ થયું.એવું કહેવાય છે કે હાજીને યુવાનીમાં કેટલીક ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી તેમણે સ્નાન કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. તેઓ રાખ અને ધુમાડાથી ઢંકાયેલી ઝૂંપડીમાં રહેતા હતા. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ રસ્તા પર મૃત પ્રાણીઓનું…
અમેરિકામાં શટડાઉન પર રાજકારણ.ટ્રમ્પે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોને ફન્ડિંગ રદ કર્યું.ડેમોક્રેટ્સ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલાઓને પણ ઓબામા કેર વડે મફત આરોગ્ય સેવા ચાલુ રાખવા માંગે છે : ટ્રમ્પ તંત્રનો આક્ષેપ. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉનનો ઉપયોગ રાજકીય કિન્નાખોરીની ટોચ કોને કહેવાય તે બતાવવા કરવા માંડયો છે. તેણે ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં મંજૂર પ્રોજેક્ટ્સને ભંડોળ ફાળવણી ધડાધડ રદ કરવા માંડી છે. તેમા ન્યૂયોર્કમાં રેલ્વે ટનલનો ૧૮ અબજ ડોલરનો પ્રોજેક્ટ છે અને ડેમોક્રેટ્સ શાસિત રાજ્યોમાં ૮ અબજ ડોલરના ગ્રીન એનર્જી પ્રોજેક્ટસને મળતું ફંડિંગ છે.ટ્રમ્પના આ પગલાંના કારણે ડેમોક્રેટ્સે દેકારો મચાવી મૂક્યો છે. વિપક્ષના નેતા ચક શુમરે જણાવ્યું હતું કે ન્યૂયોર્ક શહેરમાં અત્યંત મહત્ત્વની એવી રેલ્વે…
ટ્રમ્પના ટેરિફ અને ઓઇલ કટની અસર નહીં થાય.ભારત કોઈનું અપમાન સહન નહીં કરે: પુતિનનું સ્પષ્ટ નિવેદન,રશિયન રાષ્ટ્રપતિએ ભારત અને ચીનને રશિયા સાથેના ઓઇલની ખરીદી ઘટાડવા માટેની કાર્યવાહી મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ટેરીફ વોર મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફની કોઈ અસર નહીં થાય. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન એવા રાષ્ટ્રો છે જે આત્મ-સન્માનથી ઓતપ્રોત છે. ભારતના લોકો ક્યારેય કોઈની સામે અપમાન સ્વીકારશે નહીં. પુતિને વધુમાં કહ્યું કે, “હું વડાપ્રધાન મોદીથી પરિચિત છું. તેઓ આ પ્રકારનું કોઈ…
સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.63 અને ચાંદીનો વાયદો રૂ.606 ઘટ્યોઃ ક્રૂડ તેલ રૂ.90 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.30518.77 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88279.95 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24736.27 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27659 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.118800.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30518.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88279.95 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27659 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1772.81 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24736.27…
તારીખની પણ થઈ ગઈ જાહેરાત.ભારત અને ચીનની વચ્ચે ૫ વર્ષ બાદ શરૂ થશે ડાયરેક્ટ ફ્લાઇટ.આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો.લાંબા સમયના તણાવ બાદ ભારત અને ચીન ફરીથી એકબીજાના દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા માટે સહમત થયા છે. આ ર્નિણય ગલવાન ખીણના સંઘર્ષ બાદ પાંચ વર્ષ સુધી બંને દેશો વચ્ચે રહેલા તણાવપૂર્ણ સંબંધો બાદ લેવાયો છે. ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે આની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે, ભારતની પ્રખ્યાત એરલાઇન પણ જાહેર કર્યું છે કે તે ૨૬ ઓક્ટોબર, ૨૦૨૫થી ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરશે. ખરેખર, વિદેશ…
રિતિક રોશને સબા આઝાદ સાથે ચોથી એનિવર્સરી ઉજવી.બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર એકબીજાના ક્યારેય જાહેર નહીં થયેલાં ફોટો શેર કર્યા.૨૦૨૧માં જ્યારે રિતિક રોશન એક મિસ્ટ્રી ગર્લ સાથે જાહેરમાં દેખાઈ ગયો તો તેના વિશે વિવિધ પ્રકારના અહેવાલો આવતા રહ્યા હતા. તેઓ બંને હાથમાં હાથ નાખીને એક રેસ્ટોરાંની બહાર આવતા દેખાયા હતા. તેઓ બંને પાપરાઝીના કૅમેરામાં કેદ થઈ ગયા હતા. બાદમાં જાહેર થયું હતું કે રિતિક સાથે બહાર નીકળેલી મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ અને મ્યુઝિશીયન સબા આઝાદ હતી.કરણ જાેહરની ૫૦મી બર્થડે પાર્ટીમાં તેઓ બંને પહેલી વખત ખુલીને સાથે આવ્યા હતા. ત્યારથી બંને હંમેશા એકબીજાની સાથે રહ્યા છે. ત્યારથી તેઓ સમયાંતરે સોશિયલ મીડિયા પર…
સુનિતા આહુજા ૧૫ વર્ષથી અલગ રહેવાની કબૂલાત કરી.ગોવિંદાની પત્નીની કબૂલાત, છૂટાછેડાની અફવાથી તે દુ:ખી.નારાજગી ૧૦૦ ટકા છે, કારણ કે હું પણ બધું સાંભળું છું. પણ હું બહુ મજબુત છું કારણ કે મારી પાસે મારા બાળકો છે : સુનિતા.છેલ્લા ઘણા સમયથી ગોવિંદા કોઈ ફિલ્મમાં જાેવા મળ્યો નથી. છતાં તે પત્ની સુનિતા આહુજા સાથે છુટાછેડાના અહેવાલોથી છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. જાેકે, તેમણે ગણેશ ઉત્સવ વખતે સાથે ઉજવણી કરીને ડિવોર્સની અફવાઓને નકારવાની કોશિષ કરી હતી. આ વખતે સુનિતાએ એવું પણ કહ્યું હતું કે જે લોકો આવી અફવાઓ ફેલાવવાની કોશિશ કરે છે, તેમને અમને આ રીતે સાથે તહેવાર ઉજવતા જાેઈને શરમ આવવી જાેઈએ.…
‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ માટે.રોહિત રોયે ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડીને ચમત્કાર સર્જી દીધો હતો. “મેં સાંભળ્યું છે કે હોલીવુડના કલાકારો પણ આવી જ ડાયેટ ફોલો કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે” : રોહિત.ઘણીવાર એવું જાેવા મળ્યું છે કે કલાકારો તેમના પાત્રોની ભીતરમાં પ્રવેશવા માટે કોઈપણ હદ સુધી જાય છે. રોહિત રોયે એક સમયે આવું જ કર્યું હતું. ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે અભિનેતાએ ૨૫ દિવસમાં ૧૬ કિલો વજન ઘટાડ્યું. રોહિત ૨ ઓક્ટોબરે પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. રોહિત રોયે આવું કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જાેકે, હવે અભિનેતાએ કહ્યું છે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



