- બાબીલ ખાન ફરી ટ્રેક પર: ડિપ્રેશન બાદ કેરિયરમાં વળાંક, મલયાલમ ફિલ્મ ‘ગાંધી બજાર’ મળ્યો
- મીરા નાયરની ‘અમરી’ બાયોપિકમાં અમૃતા શેરગિલ તરીકે અંજલી શિવરામનની પસંદગી, 100થી વધુ ઓડિશન બાદ નિર્ણય
- વિદ્યા બાલન ભાવુક: 25 વર્ષ બાદ ‘ધ લાસ્ટ ટેનન્ટ’ જાેઈ, ઇરફાન ખાન સાથેની યાદો તાજી
- ‘વીવાન’ ફિલ્મ માટે અનોખી સ્ટ્રેટેજી: રિલીઝ પહેલાં જ કોમિક બુક ‘ધ લેજન્ડ ઑફ વીવાન’ લોન્ચ
- પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાના સંકેત: ચાર વર્ષથી સ્થિર દર, હવે વધારો શક્ય
- શુભેન્દુ અધિકારીના સરહદી વાડ નિર્ણયથી બાંગ્લાદેશ આક્રોશિત, કાંટાળા તાર પર વિવાદ ગરમાયો
- શ્રીલંકામાં સાયબર ક્રાઈમ મામલે 173 ભારતીયોની ધરપકડ, આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાણની આશંકા
- સાબરમતી જેલમાંથી કુખ્યાત કેદી મેઈન ગેટથી ફરાર, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો
Author: Garvi Gujarat
નવરાત્રિના પ્રથમ દિવસે વ્યાપક વેચાણ થયું.અમદાવાદમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ.આજથી ય્જી્ ઘટતા વાહનની ખરીદીમાં ધસારો જાેવા મળ્યો હતો : ઓટો મોબાઈલ ડીલરને ત્યાં દિવાળી પહેલા દિવાળી.નવરાત્રિના પ્રારંભ સાથે લોકોને ય્જી્ના ઘટાડાના અમલીકરણથી લોકોમાં રાહત થઈ છે. ખાસ કરીને ઓટો મોબાઈલમાં ય્જી્ ઘટાડો થતા દિવાળી પહેલા દિવાળીનો માહોલ ઓટો ડીલરને ત્યાં જાેવા મળ્યો. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદી કરવા ગ્રાહકોનો ધસારો વધ્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ શહેરમાં ૮૦૦થી વધુ ફોરવ્હીલર અને ૨૦૦૦થી વધારે ટુ વ્હીલરનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારની જીએસટી ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ લઈને આવી છે.…
બ્રિટનમાં અનોખા લગ્ન.હનીમૂન માટે કપલે ઊઇ કોડ લગાવી પૈસા એકઠાં કર્યા.ગિફ્ટસના બદલે મહેમાનો પાસેથી હનીમૂન ફંડ એકત્ર કર્યું.લગ્નને યાદગાર બનાવવા માટે લોકો હંમેશા કંઈક અનોખુ કરવાનો પ્રયાસ કરે છે. ક્યાંક દુલ્હનની એન્ટ્રીને ખાસ બનાવવામાં આવે છે, તો ક્યાંક ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ તમામનો હેતુ માત્ર એટલો જ હોય છે કે, આ ક્ષણ યાદગાર બને અને મહેમાનો તેને ક્યારેય ભૂલી ન શકે. હવે બ્રિટનના એક કપલે પોતાના લગ્નને જે અંદાજમાં ખાસ બનાવ્યા, તેણે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. અહીં ગિફ્ટસના બદલે મહેમાનો પાસેથી સીધુ હનીમૂન ફંડ એકત્ર કરવાનો આઈડિયા અપનાવવામાં આવ્યો. બ્રિટનના બકિંઘહામશાયરમાં રહેતા ક્રિસ માર્ટિન અને તાશા વ્હાઈટના તાજેતરમાં…
અચાનક ટીમમાં થઈ એન્ટ્રી.ખૂંખાર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે ૨ વર્ષ બાદ સંન્યાસમાંથી કરી વાપસી.તેને પાકિસ્તાન સામે વન-ડે અને ટી૨૦ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો છ.સાઉથ આફ્રિકાના ધાકડ વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે સંન્યાસમાંથી કમબેકનો ર્નિણય કર્યો છે. ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ પછી ડીકોકે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે તેને પાકિસ્તાન સામે વન-ડે અને ટી૨૦ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની સ્ક્વોડમાં પસંદ કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકન ટીમનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા હાલ ઇજાગ્રસ્ત છે, એવામાં પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ, ટી૨૦ અને વન-ડે માટે અલગ અલગ કેપ્ટન પસંદ કરવામાં આવ્યાં છે. ક્વિન્ટન ડીકોકને પાકિસ્તાન સામે વન-ડે અને…
ઈન્ડિયન નેવી ટેન્ડર કરશે જાહેર.૪ વિશાળ એમ્ફીબિયસ યુદ્ધ જહાજ ખરીદવાની તૈયારી.આ જહાજાે નેવીને સમુદ્રમાંથી કિનારા પર લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા પૂરી પાડશે.ભારતીય નેવી ટૂંક સમયમાં ચાર મોટા લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક (LPD) યુદ્ધ જહાજાેના નિર્માણ માટે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડશે. આ જહાજાે નેવીને સમુદ્રમાંથી કિનારા પર લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા પૂરી પાડશે. સમુદ્રમાંથી કિનારા પરના હુમલાઓ સરળ બનાવવા માટે, આ યુદ્ધ જહાજાે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કામ કરશે, જેમાંથી ફિક્સ્ડ-વિંગ નેવલ ડ્રોન પણ ઉડાવી શકાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં જ નેવીના આ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે, જે…
કેપ્ટનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી.એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ.કોકપીટમાં પ્રવેશવા સાચો પાસકોડ દાખલ કર્યો હતો પાઇલટે ખોલ્યો જ નહીં કોકપીટનો દરવાજાે, ૯ લોકોની અટકાયત.બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનો કોકપીટ દરવાજાે ખોલવાનો પ્રયાસ બે મુસાફરોએ કર્યો હતો. તેમણે કોકપીટમાં પ્રવેશવા માટે સાચો પાસકોડ દાખલ કર્યો હતો. હાઇજેક થવાના ડરથી પાઇલટે દરવાજાે ખોલ્યો ન હતો. એટીસીને આ અંગે જાણ કરવામાં આવી હતી, જેણે સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી હતી. વારાણસીમાં સુરક્ષિત ઉતરાણ બાદ, કોકપીટ દરવાજાે ખોલવાનો પ્રયાસ કરનારા બે મુસાફરો સહિત નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વારાણસી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ અટકાયતીઓની પૂછપરછ કરી રહી છે. વિમાનમાં ૧૬૩ મુસાફરો હતા.…
સોના-ચાંદીના વાયદામાં ઝંઝાવાતી તેજીઃ બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવ ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા ક્રૂડ તેલના વાયદામાં રૂ.30ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.35087.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.296074.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31191.85 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.331163.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35087.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.296074.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 26200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1723.76 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના…
ગત વર્ષે પણ ભૂકંપના બે આંચકા આવ્યા હતા.અરુણાચલ પ્રદેશમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.આ પૂર્વે ગુજરાતના કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો હતા. અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો. સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી.જ્યારે આ પૂર્વે ૧૪ માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બરે તવાંગમાં ૪.૦ ની તીવ્રતાનો…
ગુજરાત સહિત નવ રાજ્યોએ પેન્શન કરતાં વધુ ખર્ચ વ્યાજ ચૂકવણામાં કયા.રાજ્યોએ ૧૦ વર્ષમાં પેન્શન, પગાર, વ્યાજ પાછળ ૨.૫ ગણા વધુ ખર્ચ્યા.નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રેવન્યુ ખર્ચ રૂ.૩૫,૯૫,૭૩૬ કરોડ હતો અને તેમાં નિશ્ચિત ખર્ચનું પ્રમાણ રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ હત.રાજ્યોના ફાઈનાન્સ અંગે કેગનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવણા જેવા નિશ્ચિત ખર્ચમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૨.૫ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં નિશ્ચિત ખર્ચની રકમ રૂ. ૬,૨૬,૮૪૯ કરોડ હતી, જે ૨૦૨૨-૨૩માં વધીને રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ થઈ હતી. રેવન્યુ ખર્ચમાં આવા સ્ટેટ ફાઈનાન્સ ૨૦૨૨-૨૩ અંતર્ગત જાહેર થયેલા કેગના રિપોર્ટમાં જણાવાયા મુજબ, ૨૦૧૩-૧૪થી ૨૦૨૨-૨૦૨૩ના ૧૦ વર્ષ દરમિયાન…
સાયબર ગઠિયાઓનો આતંક યથાવત.તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી ૩૦ લાખ પડાવ્યા.સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને નેટ બેન્કિંગ ચાલુ કરાવી તબક્કાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મહિલા શિક્ષિકાને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૩૦ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને આ ગઠિયાઓ દ્વારા ધાક ધમકી આપીને લાખો…
ભાદરવી અમાસના દિને દોઢ લાખ ભક્તોએ માતાજીના દર્શન કયા.નવરાત્રિના આરંભે શક્તિપીઠ પાવાગઢમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો.સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત મધ્યરાત્રી બાદ ડુંગર પર કુદરતી આફતના વાદળો મંડાયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આગલા દિવસે ભાદરવી અમાસના રોજ દોઢ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજી ના દર્શનાર્થે ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. રવિવાર ના રોજ આસો નવરાત્રિના આગલા દિવસે માતાજીના દર્શનાર્થે શનિવારની મધ્યરાત્રીથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જાેડતા તમામ માર્ગાે પર ભક્તોનો સૈલાબ જાેવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



