- સ્પેસએક્સ શેર તૂટતા એલન મસ્કની સંપત્તિમાં એક મહિનામાં 308 અબજ ડોલરનો જંગી ઘટાડો
- ‘ઉત્સવ’ના બોલ્ડ શૂટિંગમાં રેખાનો રહ્યો પ્રોફેશનલ અભિગમ, શેખર સુમને કર્યો ખુલાસો
- રિચી મહેતાની ‘ફૂલન’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર, બાદમાં OTT પર રિલીઝ
- 4 વર્ષના વિલંબ બાદ મૃણાલ-હુમાની થ્રિલર ફિલ્મ ‘પૂજા મેરી જાન’ આખરે OTT પર થશે રિલીઝ
- કાયદો સર્વોપરી, પરંતુ યુનિવર્સિટી પર કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થવું જોઈએ
- પટના હાઈકોર્ટનો આદેશ: જાતિ જાણી યુવકના પગ ભાંગનાર પૂર્વ SHO સામે FIR નોંધવાનો નિર્દેશ
- NEET મુદ્દે ઈસુદાન ગઢવીની અપીલ, ગુજરાતના યુવાનોને કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવવા આહ્વાન
- મધ્યપ્રદેશ વિધાનસભામાં UCC બિલ પસાર, લિવ-ઇન નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જોગવાઈઓ
Author: garvigujrat
મારા જ પૈસા પાછા નથી મળ્યા : શિલ્પા.૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું.કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં મારી ભૂમિકા નહોતી.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. એવામાં અભિનેત્રીએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે અને એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું, કે આ કેસમાં મારું નામ જાેડવાના પ્રયાસ જાેઈને દુ:ખ થાય છે. કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં…
રેખાની લવ લાઈફ ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે.બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ બીજા લગ્નને લઈને કર્યો ખુલાસો.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી સાથે વાત કરતા જાેવા મળ્યા.પરદેસ ફેમ મહિમા ચૌધરી અને સંજય મિશ્રા અભિનીત ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ૧૯ ડિસેમ્બર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા ફિલ્મનું સ્ક્રિનિંગ હોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં પીઢ અભિનેત્રી અને બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ પહોંચી હતી. મહિમા ચૌધરી સાથે પોઝ આપતી વખતે રેખાએ પાપારાઝીને કંઈક એવું કહ્યું કે બધા દંગ રહી ગયા.‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’ ના સ્ક્રિનિંગના વાઈરલ વીડિયોમાં રેખા અને મહિમા ચૌધરી પાપારાઝી…
જેનિફરને પોતાના કેટલાક જૂના ઈન્ટરવ્યૂ ક્ષોભજનક લાગી રહ્યા છે.જેનિફર લોરેન્સ પોતાની જ ફિલ્મો શા માટે જાેતી નથી?.રસેલે મને અભિનય કેવી રીતે કરવો તે હકીકતમાં શીખવ્યું. તેની સાથે કામ કરી ચૂકેલા અન્ય કલાકારો માટે હું સંવેદનશીલ છ.ઓસ્કાર એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જેનિફર લોરેન્સે પોતાને પોતાની જ ફિલ્મો મોટા પડદા પર જાેવાનો આનંદ શા માટે નથી થતો તે અંગે ટિપ્પણી કરી છે. લિયોનાર્ડાે ડી કેપ્રિયો સાથેની વાતચીત દરમિયાન જેનિફરે પોતાને થિયેટરમાં જાેવાનું શા માટે તેને પસંદ નથી તેનો ખુલાસો કર્યાે હતો. તેણે જણાવ્યું કે, ના, મને મારી ફિલ્મો જાેવાનું પસંદ નથી. મે ટાઈટેનિક જેવી મહાન ફિલ્મ નથી બનાવી- જાે મે બનાવી હોત, તો…
આઈમેક્સમાં ‘અવતાર’ પહેલા ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ થશ.ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’નું નવું પોસ્ટર રિલીઝ.છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે : સોશિયલ મીડિયા યુઝર.વર્ષ ૨૦૨૩માં ‘ઓપનહાઈમર’થી ખળભળાટ મચાવનાર ક્રિસ્ટોફર નોલન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઈમાં રિલીઝ થશે. દર્શકો પણ ખૂબ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને ઉત્સુકતા થોડી વધારી દીધી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ પ્રોલોગ થકી સંબંધિત પ્લાન પર રસપ્રદ માહિતી આપી છે. ફિલ્મનું નવું પોસ્ટર ‘ધ ઓડિસી’ના…
આરોપી બિલ્ડરના ૪ દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી.અમદાવાદીઓને ઘરના સપના બતાવીને છેતરપીંડી કરનારા ૩ બિલ્ડરની ધરપકડ.કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે 2BHK, 3BHK ફ્લેટ્સ તેમજ દુકાનોની આકર્ષક સ્કીમ ચલાવીને ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા.અમદાવાદ શહેરમાં ફ્લેટ અને દુકાનોના નામે કરોડોની ઠગાઈ આચરનારા બિલ્ડરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઘાટલોડિયા તાલુકાના છારોડી ગામે આવેલી જમીન પર NA અને RERA ની મંજૂરી વગર પ્રોજેક્ટ શરૂ કરીને ગ્રાહકોને છેતરનાર ત્રણ બિલ્ડરોની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડરોએ ‘‘કેશવ નારાયણ સ્કાય હોમ્સ‘‘ના નામે…
BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાનમહાયુતિનું ટેન્શન વધારવા માટે ઠાકરે બંધુ એક થયા.બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી : બંને નેતા એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS))ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે. સૂત્રોના…
વડાપ્રધાન મોદી ખડખડાટ હસતા જાેવા મળ્યા.વડાપ્રધાન મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે થઇ મુલાકાત.સંસદનું શિયાળુ સત્ર શુક્રવારે પૂર્ણ થયું : સત્રના અંતિમ દિવસે, મોદી અને પ્રિયંકાએ વાયનાડ પર ચર્ચા કરી.સંસદના બંને ગૃહોને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. શુક્રવારે શિયાળુ સત્રના અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી અન્ય સાંસદો સાથે સંસદ ભવનમાં મળ્યા હતા. શિયાળુ સત્રના સમાપન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પાર્ટીના નેતાઓ અને લોકસભાના સાંસદો સાથે તેમના ચેમ્બરમાં બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બધા નેતાઓ પહોંચ્યા હતા. ચર્ચા દરમિયાન, સભ્યોએ વડા પ્રધાનને નવા સંસદ ભવનમાં સમર્પિત હોલ માટેની તેમની માંગ પર વિચાર કરવા…
ખાસ ડ્રાઈવ કરી ૮,૪૩૧ને આપ્યો આશરો!.ઘરવિહોણા લોકોની મદદ કરવા AMCએ ઉપાડ્યું બીડું.અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત : શિયાળાની ઋતુમાં ખાસ ડ્રાઇવઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ આશ્રયગૃહોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિ:શુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. અ ાશ્રયગૃહોની કુલ ક્ષમતા ૪,૩૧૫ જેટલી છે, જેમાં સરેરાશ ૮૦ ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જાેખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવિય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો…
૩૦ ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ.કોંગ્રેસમાં ફરી મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ જારી!.એન.રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વ મામલે ચર્ચા કરવામાં આવી હતી.કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરી શરૂ થઈ છે. રિપોર્ટ મુજબ બેલગાવીમાં વરિષ્ઠ લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલી દ્વારા બુધવારે (૧૮ ડિસેમ્બર) રાત્રે રાત્રિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું સમર્થન કરનારા ધારાસભ્યો સામેલ થયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના પુત્ર અને વિધાન પરિષદ સભ્ય યતીન્દ્ર સિદ્ધારમૈયા તથા ધારાસભ્ય એન.રાજન્ના સહિત ૩૦થી વધુ ધારાસભ્યો સામેલ થયા હતા. જ્યારે સીએમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા. રિપોર્ટ…
બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી.અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા.આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા તેમના બેસ્ટિયન રેસ્ટોરન્ટ અને કથિત કર ગેરરીતિઓ સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. આવકવેરા વિભાગ શિલ્પા શેટ્ટીના ઘર અને તેની સાથે સંકળાયેલા અન્ય સ્થળોએ દસ્તાવેજાેની તપાસ કરી રહ્યું છે. આ કેસમાં મુંબઈ તેમજ બેંગલુરુમાં દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાં રેસ્ટોરાં અને સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગને હોટલ વ્યવસાયમાં રોકાણ, આવક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



