Author: Garvi Gujarat

ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો એન્ટ્રી‘ વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ ૫૦થી વધુની અટકાયત આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોની અટકાયત કરી છે વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં શુક્રવાર (૧૯ સપ્ટેમ્બર)ની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોની અટકાયત કરી છે.પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક…

Read More

૨૪ તારીખ સુધી આગાહી! અમદાવાદમાં ધોધમાર વરસાદ, રિવરફ્રન્ટ પર ભરાયા પાણી વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે અમદાવાદ: આજે સવારથી શહેરમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. જ્યારે આજે બપોરે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. વરસાદ પડતાં ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. બીજી બાજુ, હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિ પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી રિવરફ્રન્ટ રોડ પર પાણી ભરાયા છે. જાેધપુર, સેટેલાઇટ, એસ.જી હાઇવે પર પણ વરસાદ…

Read More

દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી ગોધરા-છોગાળા રૂટની ST બસમાં ૫૨ની ક્ષમતા સામે ૧૭૦ મુસાફરો આ દ્રશ્યો એટલા ભયાવહ હોય છે કે, સીટ પર જગ્યા ન મળતાં વિદ્યાર્થીઓ બસની કેબિનમાં ઊભા રહેવા મજબૂર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી પસાર થતાં બસ રૂટ પર વિદ્યાર્થીઓ અને મુસાફરોની સલામતી જાેખમાઈ રહી છે. શહેરાથી છોગાળા તરફ જતી ST બસમાં નિયમિતપણે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગંભીર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. ST બસનો રૂટ ગોધરાથી શરૂ થઈને ભોટવા, શેખપુર, જાેધપુર, જેથરીબોર થઈને છોગાળા સુધીનો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુસાફરો મુસાફરી…

Read More

ગુજરાતના રસ્તાઓની પોલ ખૂલી બિસ્માર રસ્તાઓ પરથી પસાર થયો PM કાફલો લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન રોડની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હવામાનની પ્રતિકૂળતાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટરમાં ઉડાન ભરી શક્યા ન હતા, જેના કારણે તેમને લોથલથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો. આ દરમિયાન, ખરાબ રસ્તાઓ અને અસંખ્ય ખાડાઓને કારણેPM કાફલાની ગતિ ધીમી પડી હતી, જેનાથી ગુજરાતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખૂલી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(૨૦ સપ્ટેમ્બર) નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સમીક્ષા કરવા માટે ભાવનગરથી બાય-એર લોથલ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, ખરાબ…

Read More

ફૂડ સ્ટોલધારકોને આ નિયમો પાળવા ફરજિયાત અમદાવાદમાં નવરાત્રીને લઈને એએમસીની ગાઈડલાઈન જારી નવરાત્રીમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે નવરાત્રિનો પાવન પર્વ આગામી ૨૨ સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડના સ્ટોલ માટે છસ્ઝ્રએ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે. આ સાથે ફૂડ સ્ટોલ ધારકોએ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. નવરાત્રિમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોએ  ની વેબસાઈટ પર જરૂરી…

Read More

અમદાવાદ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: IN10 મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા, મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ, JOJO એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ, JOJO સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે. આ સહયોગ બેવડી સીમાચિહ્નરૂપ છે: ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ. આ નવરાત્રિમાં શૂટિંગ શરૂ થશે. છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે, જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી…

Read More

દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે.વડોદરાના ચાંપાનેર દરવાજા પાસે ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન.રહીશોનું કહેવું હતું કે કોર્પોરેશનને ઘણી વખત લેખિત તથા ઓનલાઈન રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન લાવવામાં આવ્યું નથી.વડોદરા શહેરના ચાંપાનેર દરવાજા પાસે આવેલી કન્યા શાળાની સામે પ્રેસવાલાની ચાલીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. સતત ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા તેમજ ઘરોમાં બેક મારતા સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે. દુર્ગંધ અને ગંદકીના કારણે રોજિંદી જિંદગી મુશ્કેલ બની ગઈ છે. આજરોજ સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૪ ની કચેરી ખાતે ઘસી ગયા હતા અને ભારે હોબાળો…

Read More

કર્મચારીઓને અમેરિકા ન છોડવાના આદેશ.ટ્રમ્પના વીઝા બોમ્બથી META અને માઈક્રોસોફ્ટમાં ખળભળાટ.વિઝા ફીમાં મોટો વધારો અને કડક નિયમોના કારણે વિદેશમાં રહેલા કર્મચારીઓને અમેરિકામાં પ્રવેશ ન મળવાનો ભય.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન નિયમોને પગલે સ્ઈ્છ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ તેમના H-1B વિઝાધારક કર્મચારીઓને એક તાત્કાલિક સલાહકાર જારી કર્યો છે. આ સલાહકારમાં કર્મચારીઓને ૨૧ સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલા અમેરિકા પરત ફરવા અથવા દેશમાં જ રહેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે નવા કાયદાઓ હેઠળ તેમને ફરીથી પ્રવેશમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રવારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય…

Read More

પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતને ઝટકો.અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો.પાકિસ્તાન સામેની આગામી મેચમાંથી બહાર થઈ શક.ભારતીય ટીમે એશિયા કપ ૨૦૨૫ની પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં ઓમાનને ૨૧ રનથી હરાવીને જીતની હેટ્રિક મેળવી. ઓમાને ભારતને જાેરદાર ટક્કર આપી પણ જીત મેળવી શક્યું નહીં. ભારતનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે છે. આ ટીમ ઈન્ડિયાનો પહેલો સુપર-૪ મુકાબલો હશે. જાેકે, તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટાર્ગેટનો પીછો કરતા અક્ષર પટેલે ૧૫મી ઓવરમાં કેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો, જેના કારણે…

Read More

દિલ્હીની બેઠકમાં મોટો ર્નિણય.ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર કેનેડા.‘ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના કેનેડિયન સમકક્ષ નથાલી ડ્રોઈન વચ્ચે બેઠક યોજાઈ.લગભગ ૧૧ મહિના પહેલા કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (દ્ગજીછ) નથાલી ડ્રોઈન અને ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને આક્ષેપ કર્યો હતો કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ટાર્ગેટ કરવા પાછળ ભારતનો હાથ છે. હવે આ બંને અધિકારીઓએ ભારત આવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત વખતે બેઠકમાં બંને દેશોના સંબંધો અંગે મહત્ત્વની ચર્ચાઓ પણ થઈ છે અને આ સાથે વિદેશ મંત્રાલયે મહત્ત્વનું નિવેદન પણ જાહેર કર્યું છે. ભારતીય વિદેશ…

Read More